નર્મદા જિલ્લાના રાજપીપલા દેડીયાપાડા, સાગબારા અને તિલકવાડા ખાતેના નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન કેન્દ્રોને ખરીદ કેન્દ્રો તરીકે જાહેર કરાયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવેથી ડાંગર, મકાઇ અને બાજરીની ખેડૂતો પાસેથી સીધી ખરીદી.

રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીફ સીઝન ૨૦૧૯-૨૦ અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી આગામી તા. ૧૬/૧૦/૨૦૧૯ થી તા. ૩૧/૧૨/૨૦૧૯ દરમ્યાન ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના ડાંગર માટે ૯૨, મકાઇ માટે ૬૧ અને બાજરી માટે ૫૭ જેટલા એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્રો/ગોડાઉન કેન્દ્રો ખાતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂા. ૧૮૧૫/- પ્રતિ કવિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂા. ૧૮૩૫/- પ્રતિ કવિન્ટલ, મકાઇ માટે રૂા. ૧૭૬૦/- પ્રતિ કવિન્ટલ અને બાજરી માટે રૂા. ૨૦૦૦/- પ્રતિ કવિન્ટલ નિયત કરેલ છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોને ઓનલાઇન નોંધણી સંબંધિત ગ્રામ પંચાયતમાં (ઇ-ગ્રામ સેન્ટર ખાતે) નજીકના એ.પી.એમ.સી. ખાતે તથા નિગમમાં ગોડાઉન કેન્દ્ર ખાતે તા. ૧/૧૦/૨૦૧૯ થી શરૂ થયેલ છે. જે તા. ૩૧/૧૦/૨૦૧૯ સુધી હતી. જે રજીસ્ટ્રેશનની મુદૃતમાં તા. ૧૫/૧૧/૨૦૧૯ સુધી વધારો કરવામાં આવેલ છે, જે એ.પી.એમ.સી. ખરીદ કેન્દ્ર ખાતે જ થઇ શકશે તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે.
વધુમાં રાજપીપલા/નર્મદા જિલ્લાના રાજપીપલા, દેડીયાપાડા, સાગબારા, તિલકવાડા તાલુકા ખાતેના ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી, ના ગોડાઉન કેન્દ્રને જ ખરીદ કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવેલ છે. અને આ તમામ ખરીદ સરકારશ્રીના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રા.બા.વિભાગના તા.૧૦/૧૦/૨૦૧૯ ના ઠરાવ ક્રમાક / કીમએસ / ૧૪ / ૨૦૧૯/૩૧૯૭૩/ક થી આપેલ સુચનાઓ મુબજ કરવામાં આવશે જેની નોંધ લેવા નાયબ જિલ્લા મેનેજર, ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી., રાજપીપલા-નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (1 )