બોડેલી તાલુકાના સાગદ્રા ગામે ગત્ રાત્રિના સમયે આકસ્મિક આગ લાગતા એક સાથે ચાર મકાનો બળીને ખાખ થયા

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
બોડેલી તાલુકાના સાગદ્રા ગામે ગત્ રાત્રિના સમયે આકસ્મિક આગ લાગતા એક સાથે ચાર મકાનો ને આગે લપેટમાં લેતા એક જ કુટુંબના બે ભાઇઓ ના દિકરા મળી પાંચ પાંચ પરિવારો ની રોકડ રકમ, એક મોટર સાયકલ અને સોના ચાંદીના દર દાગીના સહિત ની ઘરવખરી બળીને ખાખ થઇ જતા લગભગ રૂપિયા બાવીસ લાખ જેટલું નુકસાન થયું હતું

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી તાલુકાના સાગદ્રા ગામે અનસીંગભાઇ અભાભાઇ રાઠવા અને દલસુખભાઇ અભાભાઇ રાઠવા એમ બે સગા ભાઈઓ તેમના ત્રણ દિકરાઓ સાથે સંયુક્ત કુટુંબમાં એક સાથે આવેલા ૧૨ ઓરડા વાળા ચાર મકાન મા રહી ખેતી કરી જીવન જીવી રહ્યા છે. ગત્ રાત્રિના ૧૦.૦૦ વાગે ઘર નાં બધા જ સભ્યો ભેંસો તેમજ અન્ય પશુઓ ને ઘર માં રાખી ઘરના બધા જ લોકો ઘર ની બહાર સુઇ ગયા હતા. ત્યારે રાત્રિના ૨.૦૦ વાગ્યા ના અરસામાં તેઓના ઘરમાં અચાનક કોક અગમ્ય કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લઇ ચારેય મકાનો ને આગે લપેટમાં લેતા ૧૨ ઓરડા ના ચારેય મકાનો મા રાખેલ સોનું ચાંદીના દાગીના, એક મોટર સાયકલ, અનાજ સાથે નો સરસામાન, ઘાસચારો, તેમજ તાજેતરમાં જ ખેતી માં પકવેલ કપાસ અને કઠોળ વેચતા આવેલ લગભગ પાંચેક લાખ જેટલી રોકડ રકમ મળી કુલ રૂ. ૨૨,૭૬,૦૦૦/- નું નુકસાન થયું હોવાનું આજે બનાવ ની જાણ થતાં પંચક્યાસ કરવા ગયેલ ગામના તલાટી કમ મંત્રીએ તેમના પંચક્યાસ મા નોંધ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ગત્ રાત્રિના સમયે આકસ્મિક રીતે બનેલા આગ નો બનાવ બનતાં ગામમાં આગના બનાવ પહેલાં જ વરસાદ ના છાંટા પડ્યા હોય ગ્રામજનો જાગતા જ હોય ગ્રામજનો એ ઘટના સ્થળે પહોંચી આગને ઓલવવા ના પ્રયાસો હાથ ધર્યા હતા ત્યારે ગામના સરપંચે નજીકના બોડેલી અને પાવીજેતપુર બજાર સમિતિ તેમજ છોટાઉદેપુર ખાતે નગરપાલિકા માં જાણ કરતા ત્રણેય જગ્યાએ થી ફાયર ફાયટરો સાગદરા ગામે પહોંચી પાણીનો એક ધારો મારો ચલાવી પાંચ કલાકની મહા મહેનત કરી આગને કાબૂમાં લીધી હતી પરંતુ આ કાબુમાં આવે ત્યાં સુધીમાં ઘર માં મુકેલા સોના ચાંદીના દાગીના ,અનાજ, કપડાંલત્તા ,મોટરસાયકલ રોકડ રકમ સાથેની ઘરવખરી સહિતની માલ મત્તા બળીને ખાખ થઈ ગઈ હતી જેથી બાર ઓરડાના મકાનમાં રહેતા પરિવાર જનો પર જાણે આભ તૂટી પડ્યું હોય ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી બનાવની જાણ થતાં બોડેલી પોલીસ પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી જઈ મદદરૂપ બની હતી જોકે આગના બનાવમાં કોઈ જાનહાની ન થઈ હોય પરિવારજનો અને તંત્ર એ હાશ અનુભવી હતી.
સાગદરા ગામે બનેલા ઉપરોક્ત આગના બનાવ નો ભોગ બનેલ પરિવારજનોમાં ૧. માનસિંગભાઈ ભાઈ રાઠવા ને રૂ. ૮,૬૬,૦૦૦/- ,
૨. દલસુખભાઈ અભાભાઈ રાઠવા ને રૂ. ૫,૫૮,૦૦૦/-,
૩. શંકરભાઈ દલસુખભાઈ રાઠવા ને રૂ. ૬,૭૪,૦૦૦/-,
૪. રમણભાઈ આંશિક ભાઈ રાઠવાને રૂ. ૪૮,૦૦૦/- અને
૫. મનસુખભાઈ અભાભાઈ રાઠવા ને રૂ. ૧,૩૦,૦૦૦/- નુકસાન થયું હોવાનું નોંધાયું હતું
પરેશ ભાવસાર
બોડેલી
  •  
  •  
  •  
  •  
  •  
CATEGORIES
TAGS રોજીદા સમાચાર
Share This
OLDER POSTપંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ચાલવડ મુકામે “માતૃશ્રી ગં.સ્વ. સમુબા ભીખાભાઈ વાઘાણી વિઘામંદિર” તેમજ “સ્વ. મધુબેન બીપીનભાઈ વાઘાણી છાત્રાલય” ભવન નો મુ. ચાલવડ ખાતે લોકાર્પણ

COMMENTS

Wordpress (0)
Disqus (0 )